• સામાજિક મીડિયા લિંક
  • સાઇટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

દાંતીવાડા ડેમ

દિશા
કેટેગરી કુદરતી/મનોહર સૌંદર્ય
  • દાંતીવાડા ડેમ સાઇડ વ્યૂ
  • દાંતીવાડા ડેમ દૃશ્ય
  • ધરોઈ ડેમ દ્રશ્ય
  • દાંતીવાડા ડેમ
  • દાંતીવાડા ડેમ
  • ધરોઈ ડેમ

બનાસ નદીપર દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નિર્માણ પાછળનો હેતુ ગુજરાતમાં પૂરને નિયંત્રણ અને સિંચાઈ યોજનાઓના હેતુસર પાણી પૂરું પાડવાનું હતો. આ ડેમની ઊંચાઈ ૬૧ મીટર અને લંબાઈ ૪૮૩૨ મીટર છે. આ ડેમ તેની મનોહર સુંદરતાને લીધે સમગ્ર દેશના કેટલાક મુલાકાતીઓએ આકર્ષ્યા છે. મુલાકાતીઓ ખાતરી કરે છે કે તેઓ ડેમ નજીક સ્થિત બાલારામ અંબાજી વાઇલ્ડ લાઇફ અભયારણ્યની મુલાકાત લે. ધરોઈ ડેમ અને દાંતીવાડા ડેમ વચ્ચે વિભાજન રેખા છે. પાલનપુરથી દાંતીવાડા ડેમનુ અંતર આશરે ૨૩ કિ.મી. છે જે ૧૪ માઇલ જેટલું છે. ઉનાળાના મહિનાઓ દરમિયાન તાપમાન આશરે ૨૩ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. શિયાળા દરમિયાન તમે આશરે ૧૦ – ૩૬ ડિગ્રી સેલ્સિયસની અપેક્ષા રાખી શકો છો. પ્રવાસીઓ શ્રેષ્ઠ હવામાનનો અનુભવ કરવા માટે ઑક્ટોબરના થી માર્ચ મહિના દરમિયાન ડેમની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પીક સીઝનનો સમય ઓક્ટોબરથી ડિસેમ્બરના મહિનામાં છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

નજીકનું એરપોર્ટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.

ટ્રેન દ્વારા

નજીકનું રેલવે સ્ટેશન ડીસા રેલવે સ્ટેશન છે.

માર્ગ દ્વારા

સૌથી નજીકનું બસ સ્ટેન્ડ ડીસા છે.