બંધ

પશુપાલન

બનાસકાંઠા જીલ્લો ગુજરાતની ઉત્તરે પ્રશ્વિમે આંતર રાજય તથા આંતરરાષ્ટ્રીય સીમા સાથે સંકળાયેલો છે. જેમાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ, રણ તેમજ આદિવાસી વિસ્તારમાં વહેચાયેલો છે.આ જીલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. જે જીલ્લાના ગરીબ લોકોને આજીવીકા રખી આપે છે. આ જીલ્લામાં જગવિખ્યાત કાંકરેજ જાતીની ગાય, બળદ તથા મહેસાણી ભેંસ મુખ્ય પશુધન છે તેમજ ઘેટા-બકરાં ઉંટ તથા અશ્વ અને મરઘાંનો સમાવેશ થાય છે.

જીલ્લા માટે ગરીબી નિવારણ તથા સામાજિક આર્થિક ઉત્થાન માટે પશુધન વ્યવસાય અસર કારક સાધન બની રહેલ છે. આમ ગ્રામ્ય ગરીબોને ઉંચા લાવવા માટે અવાર-નવાર અછતના વર્ષોમાં ખેતી નિષ્ફળ નિવડેશે ત્યારે પશુપાલનએ આર્શિવાદરૂપ વ્યવસાય બની રહે છે.

વધુમાં અશ્વ વિકાસ માટે જીલ્લામાં એક સલાહકેન્દ્ર દિયોદર ખાતે કાર્યરત છે. જે જીલ્લામાં અશ્વ પાલન કરતા પશુપાલકો માટે આર્શિવાદ રૂપ સાબિત થયેલ છે. બનાસકાંઠમાં ખાનગી અશ્વ ઉછેર કેન્દ્રો પણ શરૂ થયેલ છે. જે દ્રારા અશ્વ પાલન વ્યવસાય પ્રગતિમાં છે એમ કહી શકાય.

 

શાખાની કામગીરી

પશુસારવાર

જીલ્લાપંચાયતની સંસ્થાઓ મારફતે જીલ્લા વિસ્તારના બિમાર પશુઓને પશુ દવાખાનામાં, રોગગ્રસ્ત પ્રાણીઓની મુલાકાત લેવા અને ખાનગી કોલ્સ દ્વારા  પ્રાણીઓના વિવિધ બીમારીઓ માટે સારવાર અપાય છે તેમજ ખાનગી વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પુરું પાડવામાં આવે છે.

રોગ નિયંત્રણ અને રસીકરણ

જીલ્લામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચેપી રોગ જેવાં કે, ગળસુંઢો, ખરવા-મોવાસા, બ્લેક કવાર્ટર, શીપ પોકસ, હડકવા જેવા રોગોની સામે રોગ પ્રતિબંધક રસી મુકી સઘન રસીકરણ કરવામાં આવે છે. તેમજ રોગચાળો જયારે થાય ત્યારે રોગ નિયંત્રણના પગલા લેવામાં આવે છે. સારવાર આપવામાં આવે છે.રોગ સંશોધનની કામગીરી પણ લેબોરેટરીના નમૂના મોકલી પરિક્ષણ કરાવી જે તે રોગનું સચોટ નિદાન કરવામાં આવે છે.

ખસીકરણ

પશુઓની શુઘ્ધ ઓલાદ ગાય-ભેંસોના પ્રજનનનું કામ સંપૂર્ણ શુઘ્ધ ઓલાદનાં લક્ષણો ધરાવતા સાંઢ-પાડાથી થાય તે જોવા માટે ગામડામાં રખડતા બાંગરા, સાંઢ પાડાનું ખસીકરણ કરી પ્રજનન અટકાવવામાં આવે છે.

પશુ સંવર્ધન/ કૃત્રિમ બીજદાન

જીલ્લામાં કુલ-૧૯ કેન્દ્રો મારફતે દૂધ ઉત્પાદકના ઉચ્ચ કક્ષાના ગુણો ધરાવતા સાંઢ-પાડાના વિર્યથી કૃત્રિમ બીજદાનની કામગીરી કરવામાં આવે છે અને ઓછુ દૂધ ઉત્પાદન આપતી ગાયોમાં જર્સી, એચ.એફ. સાંઢના પ૦ ટકાના વિર્યથી કુત્રીમ બીજદાન કરવામાં આવે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવાની કામગીરી કરવામાં આવે છે.

સંકલ્પ પત્ર યોજના

સંકલ્પ પત્ર યોજના અન્વયે પશુ ઉત્પાદકતા વૃઘ્ધિ કેમ્પ અને પશુ સંવર્ધન શૈક્ષણિક કેમ્પનું આયોજન કરી પશુપાલકોમાં પશુ સારવાર, પશુપાલનની તેમજ ખાતાકીય યોજનાઓનો વધુમાં વધુ લાભ લેતા થાય તેવી તાલીમ આપવામાં આવે છે અને પશુસારવાર કેન્દ્રમાં વંધત્વની નિવારણની કામગીરી કરી પશુપાલકોની આર્થિક પરિસ્થિતી ઉંચી આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

રસીકરણ

કેન્દ્રો સંખ્યા
બનાસડેરીના વેટનરી કેન્દ્રો ૧૧
વેટનરી કોલેજ દાંતીવાડા ૦૧
પશુધન નિરીક્ષક તાલીમ કેન્દ્ર દાંતીવાડા ૦૧
ગૌ શાળા તથા પાંજરાપોળ ૧૩૪